Showing posts with label Dikari. Show all posts
Showing posts with label Dikari. Show all posts

Badsah Sukanya Bond Yojna 2016

13:16 Posted by Chandsar No comments

Registration 2016
Date : 01/01/2016 to 31/12/2016

Shree Lavji Badshah "Beti Bachao Mahaladu, Surat - year 2006" jyare Dt.01/01/2016 na roj 10 vrsh purn krva jai rhyo che tyare "Beti Bachao Mahaladu Dashbdi Mahotsav" prasnge aapna dwara Gujaratni 5000 Patidar Dikrio mate Rupia 100 Crore ni "Badshah Sukanya Bond Yojna" jaher krva badal aap shree ne Khub Khub Abhinandan Beti Bachavo Mahaladu Dasabdi Mahotshav Prashange Samasht Patidar Samaja - Surat Prayojit

 
For 5000 patidar family
Rs.1,00,00,00,000/- Bond By LAVJIBHAI BADASHAH.






 

એક પુત્રી, એક વૃક્ષ અને એક શિક્ષક

13:15 Posted by Chandsar
 દિકરીનાં જનમ પર એક વૃક્ષ વાવવું જોઈએ.
ગ્લેઝ કર્યા વિનાનું એક માટલું લો, તેમાં પાણી ભરીને ઢાંકી દઈને તેને વૃક્ષ કે છોડનાં મૂળિયા પાસે જમીનની અંદર મૂકી દો. એકાદ અઠવાડિયા સુધી તમારે છોડને પાણી પાવાની જરૂર નહિ રહે. માટલું ટપક સિંચાઈનાં એક સાધન તરીકે કામ કરશે. યાદ રાખો, તમારે માટલામાં કાણા પાડવાની જરૂર નથી. અને હજી વધારે સારું પરિણામ મેળવવું હોય તો માટીથી વાસણ ઘસ્યા બાદ જે પાણી વધ્યું હોય તે પાણી માટલામાં ભરી દો. આ પધ્ધતિનો ઉપયોગ ગુજરાતનાં ઘણા ભાગોમાં થાય છે. જો આપણે સંકલ્પ કરીએ તો આટલું નાનું કામ ઘણું મોટું પરિણામ આપી જાય છે.

મને એક બીજો હ્રદયસ્પર્શી પ્રસંગ યાદ આવે છે. કોઈકે એકવાર મને પત્ર લખીને આ પ્રસંગ જણાવ્યો હતો. પ્રસંગ છે સૌરાષ્ટ્રનાં વેરાવળ નજીકનાં એક ગામનો. ગામની એક શાળાનાં શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષો વાવવા માટે એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. વિસ્તારમાં પાણીની અછત હતી એટલે ત્યાં વૃક્ષો માટે પાણી મેળવવાનો પ્રશ્ન હતો. એટલે શિક્ષકે વિદ્યાર્થીઓને તેમની માતા માટીથી વાસણો ઘસી લે પછી તે માટીવાળુ પાણી એક બોટલમાં ભરી લાવવાનું કહ્યું. પ્રત્યેક વિદ્યાર્થી દરરોજ માટીનાં પાણીવાળી એક બોટલ ઘેરથી લઈ આવવા માંડ્યો. શિક્ષકે વિદ્યાર્થીઓને આ જ પાણી ઝાડને પીવડાવવા માટે કહ્યું. દિવસો વીતતા ગયા અને શાળાની સામે એક લીલોછમ બગીચો તૈયાર થઈ ગયો. એક શિક્ષકનાં નાનકડા પ્રયોગે નકામા પાણીનાં ઉપયોગથી સૂકા પ્રદેશમાં હરિયાળી લાવી દીધી અને વળી આ પ્રયોગનાં માધ્યમથી શિક્ષકે વિદ્યાર્થીઓને પ્રકૃતિમાતા સાથે મિત્રતા કેળવવાનું પણ શીખવી દીધું. મને આ ઘટના ઘણી સ્પર્શી ગઈ. આશા છે કે તમને પણ એ સ્પર્શી જશે.
પર્યાવરણની રક્ષા માટે આ પ્રકારની ટીપ્સ અને પ્રયોગોની જાણકારી પરસ્પર આપતા રહીએ. ચાલો આપણે સૌ પર્યાવરણની જાળવણીમાં આપણો ફાળો આપીએ.

काश- एक बेटी होती

17:03 Posted by Chandsar
काश- तुम्हारे भी एक बेटी होतीप्यार से उसका नाम रखते ज्योती,सहमी सहमी सिमटी सी-गुलाबी कपड़ों लिपटी
सी-टुकुर टुकुर निहारती,जैसे बेरहम दुनिया को देखना चाहती,उसका हंसना बोलना और मुस्कराना,तुम्हारा प्यार से माथे को सहलाना,गाल चूमकर नाम से बुलाते-गोद में उठाकर सीने से लगाते-तो तुम्हरा दिल खुशियों से नाच उठता,कितनी ठंडक पडती कितना सकून मिलता,नन्हे नन्हे पैरों से चलने की आहटहंसना रोना और उसकी खिलखिलाहट,गोद में उठाकर लोरी सुननाउंगली पकडकर चलना सिखाना,तोतली जबान से कुछ कहने की चाहतसमाज के दोगली बातों से आहात-जैसे कहना चाह रही हो-?बेटे और बेटी में इतना फर्क,इसमें हम बेटियों का क्या कसूरएक बार हमारे पंख लगाकर के देखोखुले आसमान में उड़ाकर के देखो-हम क्या नहीं कर सकती॥?लक्ष्मीबाई, से लेकर मदरटेरसा, तकइंदिरा गांधी,से लेकर कल्पना चावला तकये भी तो किसी की बेटियां थी,बेटियां समाज की धडकन होती हैदो कुलों के बीच रिश्ता जोड़कर-घर बसाती हैमाँ बनकर इंसानी रिश्तों कीभावनाओ से जुडना सिखाती है,पर तुमने-?पर जमने से पहले ही काट डालाशरीर में जान-?पड़ने से पहले ही मार डाला,आश्चर्य है.?खुद को खुदा कहने लगे होप्रकृति और ईश्वर सेबड़ा समझने लगे हो,तुम्हारे पास नहीं है ?कोई हमसे बड़ा सबूत,हम बेटियां न होती-?न होता तुम्हारा वजूद......जिन्दगी के हर जशन को अधूरा पाओगे,अगर बेटियों के आगमन से इतना कतराओगे,जीवन का ये अनमोल सुख कैसे पाओगे

Beti Bachao Beti Padhao

16:48 Posted by Chandsar
Beti Bachao Beti Padhao “Save the Daughter, Teach the Daughter”

“The hand that rocks the cradle, the procreator, the mother of tomorrow; a woman shapes the destiny of civilization. Such is the tragic irony of fate, that a beautiful creation such as the girl child is today one of the gravest concerns facing humanity”

 In India, the girl child has been a topic of discussions and debates for the past several decades but, even today, the position appears to remain unchanged. Killing a girl before birth and after birth is not the only issues with a girl child in India. Actually at every stage of life she is discriminated and neglected for basic nutrition, education and living standard. When she is in the womb, she is eliminated before she can enter the world. If by chance she takes birth then at the time of birth this society pull her back and wrung her neck and after killing her she is thrown into a trash can. If she gets lucky to survive from all this inhumanity, then her childhood is not more than a punishment with her brother getting all the attention with new shoes, dresses and books to learn while she is gifted a broom, a wiper and lots of tears. In her teenage, she misses nutritious food to eat and gets only the left over crumbs. And by chance if she go for studies, during the age when she should be in college she is hurriedly "married off" leading to conditions where she remains ever dependent on others for her survival. She does not have either social or economic independence. Further her illiteracy, lack of education results in unwanted and early pregnancies, high fertility rate. This further effects the overall condition of females in the country. Again if this female gives birth to a girl child, the whole journey cycle of murder and discrimination begins all over again.
           It's high time we all pull up our socks to help save the girl child as time is really running out for the girl child in India. The disastrous consequences of what is happening today will vanish out daughters from the country. Therefore to prevent a horrible future of our nation our Prime Minister Hon’ble Narendra Modi sir launched the campaign “Save the Daughter, Teach the Daughter” in Panipat, Haryana, a prosperous region that has the lowest number of girls to boys in the country. The national average is 917 girls for 1,000 males.  
           The program is aimed at improving the child sex ratio and gender equality through education and will focus on 100 districts where the gender ratio is critical, it will enforce existing laws that ban female feticide and improve attendance of girls in schools. This determined drive can initiate a spark to light the lamp and show the world that we indeed are the land of the great goddesses and mothers. A small step today will definitely lead to a giant leap tomorrow as one girl child, one teacher, one book, one pen can change the world.

દીકરી એટલે વ્હાલ નો દરીયો

18:04 Posted by Chandsar
દીકરી .............
૧..લગ્ન સમયે બધાનું બધામાં ઘ્યાન હોય છે પણ દીકરીની મનઃસ્થિતિની ખબર કોઈને પડતી નથી.
૨.. કંકોત્રીમાં પોતાના નામ પછીના કૌંસમાં લખેલું નામ કદાચછેલ્લી જ વાર પોતાની આઈડેન્ટીટી બતાવી રહ્યું છે
... હવે નામની પાછળ બદલાતું નામ અને બદલાતી અટક સાથે વાતાવરણ પણ બદલાવવાનું છે
૩. ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી કરાવીને જ જંપતી હતી આજે એઈચ્છાઓ પર કાબૂ મેળવતા શિખી ગઈ હોય છે કારણ કે દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી!
૪. દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી. એટલે જ એ સાસરેથી પિયરમાં આવે છે ત્યારે પહેલાં ઘરના પાણીયારામાંથી જાતે ઊભી થઈને સ્ટીલના જૂના ગ્લાસમાં પાણી પીવે છે, હજુ પણ એને ઘરના કોક ખૂણેથી બાળપણ મળી આવે છે, હજુપણ એને પપ્પાની આંગળી ઝાલીને ફરવાનું મન થતું હોય છે,સીડી પ્લેયરના મોટ્ટા અવાજમાં હીંચકા ખાવાનું મન એને આજે પણ થાય છે. પણ, હવે એ દીકરીની સાથે સાથે પત્નિ બની છે. ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી કરાવીને જ જંપતી હતી આજે એ ઈચ્છાઓ પર કાબૂમેળવતા શિખી ગઈ હોય છે કારણ કે દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી!
૫. સુકાઈ ગયેલા આંસુનું માપ લિટરમાં નથી નીકળતું......!!! પિતા પાસેથી નાની નાની હથેળીઓ પર હાથ મૂકીને નસીબ અજમાવવાના દિવસો ‘છૂ’ થઈ જાય છે! પોતાના જ ઘરમાં મહેમાન બનીને આવવાનું જેટલું દીકરી માટે અઘરું છે એટલું જ મહેમાન બનીને આવતી દીકરીને પોતાની સગ્ગી આંખોએ જોવાનું પણ અઘરું છે...
૬. દીકરો ખૂબ થાકીને ઘરે આવ્યો હશે અને ગમ્મે તેટલો મોટો હશે પણ એનો બાપ એને અડધી રાત્રે ઊઠાડીને કામે મોકલશે... એ જ આશયથી કે દીકરો તો કાલે ફરીથી નિરાંતે ઊંઘી જશે પણ, દીકરી ઊંઘતી હશે તો પિતા એને ઉઠાડવાની હિંમત નહીં કરે...! કદાચ આ ઊંઘ ફરી ક્યારેય ન આવે તો? દીકરો પરણાવતી વખતે બાપ હોય એના કરતાં વધારે જુવાન બની જાય છે... પણ, દીકરી પરણાવતી વખતે એ અચાનક જ ઘરડો લાગવા માંડે છે... !!
દીકરીનું લગન એટલે નદીને પાનેતર પહેરાવવાની ક્ષણો...!

dikari-bachavo

16:01 Posted by Chandsar

સ્ત્રી ભ્રુણ હત્યાથી ભાવિની સમસ્યા 
  
*  સમાજમાં નારી ભ્રુણ હત્યાનું દૂષણ ઝડપથી પ્રસરી રહ્યું છે. આ સમસ્યા પર ગંભીર ચિંતન કરી તેના વિરુદ્ધ ઝુંબેશ ઉઠાવવા સૌએ સક્રિય થવાની જરૂર છે. નહીં તો ભાવિની સમસ્યા વિકટ પરિસ્થિતિ સર્જશે ! શું સ્ત્રી વિહોણી દુનિયાને આપણે કલ્પી શકશું ?
 
દુનિયામાં સ્ત્રી જ ન હોય તો સંસાર, વંશવેલો કશું જ સંભવિત નથી. માતા, બહેન, પત્ની વગેરે સ્ત્રી સંબંધોની ઓથે જ આ સંસાર ટકી રહ્યો છે. જીવ જ જીવ ને જન્મ આપી શકે. મૃત પદાર્થમાંથી કદી જીવન ન સંભવે.   
 
નારીની ઉન્નતિ અથવા પતિત સ્થિતિ પર જ સમાજની ઉન્નતિ અથવા પતન આધારિત છે.  આવી ગુણપરક નારીની ભ્રુણ હત્યાથી આપણે સમાજનું ભાવિ પતન તરફ નિશ્ચિત કરીએ છીએ.કહેવાય છે કે _
 
” પુરુષ ઘરનું આંગણું , નારી ઘરનો મોભ :
       નારી શક્તિનું રૂપ છે, ન ભૂલો એના જોમ.” 
 
ગૃહિણી કાર્ય કુશળતા, યોગ્યતા વગેરે પર જ ઘરની ઉન્નતિ, પ્રગતિ, સુખ, દુ:ખ, હાનિ, લાભ વગેરેનો આધાર છે. નારી ઘરની નિયામક છે. તે બધી રીતે ઘરનું નિયંત્રણ કરે છે. ઘરના બધા કામોની દેખરેખ, વ્યવસ્થા, સંચાલન, અને જવાબદારી તેના પર છે. જો સ્ત્રી જ નહીં રહે તો ભાવિ સમાજ અંધકારમય બની જશે.
 
સમાજની ખોટી માન્યતા અને લોકમાનસમાં રૂઢ થયેલ વિચારોએ જ સ્ત્રી ભ્રુણ હત્યાને સળગતો પ્રશ્ન બનાવી દીધો છે. ” નારી ભ્રુણહત્યા ” એ સમસ્ત માનવજાત માટે મહાકલંક છે. આ રીતે સ્ત્રીઓની સંખ્યા દિન-પ્રતિદિન ઓછી થતી જશે તો ઘણી બધી સામાજિક સમસ્યાઓ જન્મશે. 
 
સ્ત્રી ભ્રુણ  હત્યાનો  સિલસિલો આમ જ ચાલુ રહેશે તો ગાંડાઓ અને જાતીય ગુનેગારોમાં બેહદ વધારો થશે. પુરુષોની સામે મહિલાઓનું પ્રમાણ ઓછું થઇ જવાથી જાતીય ગુનાઓ વધશે. અને છોકરીઓની સલામતીનો પ્રશ્ન ઉદભવશે. 
 
ભવિષ્યમાં આ પ્રશ્ન વણઉકેલ્યો રહેશે તો, લાખો વાંઢાઓ વિલાપ કરતા હશે કે : ” દયાળુ દીકરીવાળા દયા વાંઢા પર લાવો, હવે તો હદ થઇ છે, અમોને કોઈક પરણાવો.”  આ પરિસ્થિતિને અટકાવવા પ્રયાસો કરવા જ પડશે. નહીં તો ભાવિની સમસ્યા વિકટ બનશે !
 
સમાજમાં દીકરીની સંખ્યા ઓછી થતા સ્ત્રી-પુરુષોમાં જે સમાનતા રહેલી છે તેમાં અસમાનતા આવશે અને અનેક વિષમતાઓ જન્મ લેશે. ત્યારે જ આ સમાજને દીકરીનું મહાત્મ્ય સમજાશે. 
 
સને ૧૯૦૧ થી લઈને ૨૦૦૧ સુધીના વસતિ ગણતરીના આંકડાઓ જોઈએ તો પુરુષોની સંખ્યા સામે મહિલાઓની સંખ્યા ઘટતી જાય છે. જે ચિંતા જનક બાબત છે. સ્ત્રીઓની ઘટતી સંખ્યા સ્વસ્થ સમાજ રચના માટે અને વ્યક્તિ તથા દેશના વિકાસ માટે ચિંતા ઉપજાવે છે.  

stri-bhrun-hatya

15:57 Posted by Chandsar

       “નારી ધરી સકલ વિશ્વ તણી અનન્ય,
                        નારી વડે મનુજ – જાતિ સદૈવ ધન્ય,
સર્જે, ઘડે જગતને, ઉર – છાંય અર્પે,
                              નારી સ્વયં વિભુતપણું નક્કી-રૂપ અન્ય.”
                                              – ભગવતીકુમાર શર્મા
‘यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता: | ‘
-આ ભાવનાથી ભારતમાં સદીઓ પૂર્વે સ્ત્રી – સન્માનનો આદર્શ મૂર્તિમંત બન્યો હતો. હિંદુ ધર્મ અનુસાર મોક્ષપ્રાપ્તિ માટે નારીનો સાથ અનિવાર્ય છે.
“ઈંટ ચુનાની દિવાલ બને, ન એ કોટડી ગૃહ ગણાય.
   પરંતુ નર અને નારી બંનેના પ્રેમથી…….
   પાષાણનું   સ્વર્ગ   થાય ……. “
પૂર્વે સ્ત્રીને દેવી કે માતાના સ્વરૂપે પૂજ્ય ગણવામાં આવતી. પરંતુ તત્કાલિન સમાજમાં આ વિચારો હાસ્યાસ્પદ બની રહ્યા હોય તેવું લાગે છે! આજે ભારતવર્ષમાં સદીઓથી દીકરીને સાપનો ભારો ગણવામાં આવે છે, જયારે દીકરાને આજીવન સહારો ગણવામાં આવે છે. આથી ‘જો દીકરી જન્મે તો નિસાસા અને દીકરો જન્મે તો પતાસા.’
બાળકી પ્રત્યેનો આપનો આવો દુર્વ્યવહાર ?
14 મી અને 15 મી સદીમાં દીકરીને દૂધ પીતી કરવાની પ્રથા, દહેજપ્રથા, સતીપ્રથા જેવા દુષણો સંકળાયેલા હતા. અત્યારે સંજોગો અને સમય બદલાયા પણ દીકરી પ્રત્યેનો દવેશ 21 મી સદીમાં પણ બદલાયો નથી. સમાજે સુસંસ્કૃતતા અને આધુનિકતાની ચાદર તો ઓઢી પરંતુ તે ચાદરની થીંગડાની નિશાનીઓ તો રહી જ ગઈ. હવે તો દીકરીને જન્મવાનો અધિકાર પણ છીનવી લઇ, ગર્ભમાં જ સ્ત્રી ભૃણ  હત્યા કરી નાંખવામાં આવે છે. આથી આ એક સમાજનો સળગતો પ્રશ્ન બની ગયેલ છે.
સને 1901 થી 2001 સુધીના વસતિ ગણતરીના પરીક્ષણ પ્રમાણે જોઈએ તો પુરુષોની સંખ્યા સામે મહિલાઓનું પ્રમાણ સાવ ઘટી ગયું છે . આ રીતે સ્ત્રીઓની સંખ્યા દિન – પ્રતિદિન ઓછી થતી જાય છે . તેનાથી ઘણી બધી સામાજિક સમસ્યાઓ જન્મે છે . દીકરી વિષે તો કહેવાય……” સમગ્ર માનવીઓના સંબંધોમાં સૌથી પવિત્ર અને ગિરિ ઉંચેરો જો કોઈ સંબંધ હોય તો તે છે પિતા – પુત્રી  કે  માતા – પુત્રીનો.”
સ્ત્રી ભૃણ હત્યા એ સમાજનો સળગતો પ્રશ્ન છે . ગામેગામ અને શહેરમાં આવા માનવ હત્યાના કતલખાના ખોલવામાં આવ્યા છે . જ્યાં સુધી આધુનિક સુશિક્ષિત ડોકટરો, શસ્ત્રો સાથે સુસજ્જિત છે ત્યાં સુધી આ પ્રશ્ન વણ ઉકેલ્યો જ રહેશે . સાચું કહેવાય છે કે ડોકટરનો મતલબ  ” ડોક   કટર  “. ડોક એટલે ગર્દન  અને કટર એટલે કાપવાવાળા . તેમાં પણ ગર્ભ હત્યાની આધુનિક અનેક રીતો વિકસિત થઇ છે . આ તો આપણી વિજ્ઞાન કળાનો આધુનિક મહા અભિશાપ છે ! આ પરિસ્થિતિ સમગ્ર સ્ત્રીજાતિ માટે અપમાનજનક છે . ત્યારે  ‘ કમલા ભસીન ‘ ના શબ્દોમાં કહી શકાય …….
”  देश  में  अगर  औरते  अपमानित है ,  नाशाद  है ,
         दिल पर रखकर हाथ कहिये देश क्या आज़ाद है ? “
” जिनका  पैदा  होना ही अपसुकन है नापाक  है ,
        औरतो   की जिंदगी  ये जिंदगी क्या खाक  है । “
સમાજની ખોટી માન્યતા અને લોકમાનસમાં રૂઢ થયેલ વિચારોએ જ સ્ત્રી ભૃણ હત્યાને સળગતો પ્રશ્ન બનાવી દીધો છે . ” નારી ભ્રુણ હત્યા ” એ સમસ્ત માનવજાત માટે મહાકલંક છે. ભૃણ હત્યાનો સિલસિલો આમ જ ચાલુ રહેશે તો વાંઢાઓની મોટી જમાત વધશે, બળાત્કાર જેવા જાતીય ગુના વધશે , સ્ત્રીઓની સલામતી ઘટશે અને કન્યાવિક્રય થશે . શું સ્ત્રી વિહોણી દુનિયાને આપણે કલ્પી શકીશું ? નહિ કારણ કે જો દુનિયામાં સ્ત્રી જ ન હોય તો સંસાર, વંશવેલો કશું જ સંભવિત નથી. જીવ જ જીવને જન્મ આપી શકે . મૃત પદાર્થમાંથી કદી જીવન ન સંભવે . તો દીકરીને સાપનો ભારો ગણનારા આવા લોકોને કહેવું જોઈએ ………
 ” દીકરી સાપનો ભારો નહિ, તુલસીનો ક્યારો  છે ;
     તે માં-બાપની સેવા કરનાર ઝળહળતો અવિરત તારો છે.”
નારી ભૃણ હત્યાનું દૂષણ સમાજમાં ઝડપથી પ્રસરી રહ્યું છે. આ સમસ્યા પર ગંભીર ચિંતન કરી તેના વિરુધ્ધ ઝુંબેશ ઉઠાવવા સૌએ સક્રિય થવાની જરૂર છે. આ ઝુંબેશમાં તબીબી ક્ષેત્રના નિષ્ણાંતોએ સ્વૈચ્છિક રીતે હાથ મિલાવવાની તાતી જરૂર છે. દીકરી જન્મવાની છે તે જાણીને પતિ પત્ની ગર્ભપાત કરાવવાની ઈચ્છા દર્શાવે તો તેને અનૈતિક ગણી તબીબે જોરદાર વિરોધ કરવો જોઈએ. તેમને સમજાવવું જોઈએ કે દીકરીને ‘પરાયું ધન’ નહિ પણ ‘પોતાનું ધન’ સમજે. તબીબો પોતાના દવાખાનામાં – ‘ગર્ભપાત સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.’, ‘ગર્ભસ્થ બાલિકા હત્યા પાપ અને ગુનો બને છે.’ જેવા પોસ્ટરો સ્થનિક ભાષામાં લખીને ભીંત પર લગાવે. આવા સૂત્રો પ્રિસ્ક્રીપ્શન લખી આપવાની બધી જ સામગ્રી પર મુકવા જોઈએ. જેમકે ,
” દીકરો  અમારો  દીકરો,  બૈરી લાવે ત્યાં  સુધી,
       દીકરી અમારી દીકરી, અમે જીવીએ ત્યાં સુધી. ”
” હૃદયે રાખી હાથ , વિચારો આપ ,
       ભ્રુણ   હત્યા   છે ,    મહાપાપ . “
આ ઉપરાંત આપણા  સમાજના ધાર્મિક નેતાઓ પણ આ સમસ્યા ઉકેલવામાં સાથ આપી શકે. ઘણા કુંટુંબોમાં વંશવેલો આગળ ચલાવવા દીકરો તો હોવો જ જોઈએ . પીંડ મુકનાર ન હોય તો મોક્ષ ન મળે , પુત્ર જ અગ્નિદાહ આપે તેવી માન્યતા રૂઢ થયેલી છે. તેથી એ પુત્રની ઝંખના સેવે છે.  આમ કરતા કરતા એ પુત્રી તરફ ઉદાસીન થઇ જાય છે . – ને એની ગર્ભમાં જ હત્યા કરાવી નીચામાં નીચા નર્કને લાયક બને છે . આવી સભાનતા લોકોમાં ધર્મગુરુઓ જગાવી શકે . ડોકટરો , ધર્મગુરુઓ અને માતા-પિતાની સભાનતા જ આ સમસ્યાનો ઉકેલ છે . તેથી આ વાતને પ્રતિપાદિત કરતા કહી શકાય ….
” દીકરો દીકરી ગણીએ એક , સ્ત્રી ભૃણ હત્યાને કરાવી છે પેક .”
કોઈપણ સમસ્યાનો ઉકેલ તેના મૂળમાં જ હોય છે . સ્ત્રી ભૃણ હત્યાના ઉકેલ માટે નીચેના કાર્યક્રમોનું આયોજન કરી શકાય. જેમકે, સ્ત્રી ભૃણ હત્યા વિષયક ચિત્ર સ્પર્ધા, નિબંધ અને વકતૃત્વ સ્પર્ધા, પ્રભાતફેરી, શેરી નાટક, પરિસંવાદો , માત્રુ – પિતૃ સંમેલનો વગેરે.
આ સાથે સમાજમાં પ્રવર્તમાન દ્રષ્ટિકોણને બદલવાની જરૂર છે . કારણ કે એક સારો દ્રષ્ટિકોણ એ સુખી જીવનની કેડી કંડારી શકે તેમ છે ! તેથી કહી શકાય ……..
” બદલાયે  જો દ્રષ્ટિકોણ  તો  હર માનવ બદલાય શકે  છે ;
    દ્રષ્ટિકોણના પરિવર્તનથી અખિલ વિશ્વ બદલાય શકે છે.”

savedaughter-1

15:54 Posted by Chandsar

નારી ભૃણ હત્યા સામેની આ ઝુંબેશમાં તબીબી ક્ષેત્રના નિષ્ણાંતોએ સ્વૈચ્છિક રીતે હાથ મીલાવવાની તાતી જરૂર છે. જયારે પી – પત્ની જાતિ પરિક્ષણ માટે ત્યારે તબીબોએ પતિ – પત્નીને એવું સમજાવવા કોશિશ કરવી જોઈએ કે દીકરીને ‘ પરાયું ધન ‘ નહીં, પણ ‘ પોતાનું ધન ‘ સમજે, દીકરી જન્મવાની છે એ જાણીને યુગલ ગર્ભપાત કરાવવાની ઈચ્છા દર્શાવે તો એને અનૈતિક ગણી તબીબે જોરદાર વિરોધ કરવો જોઈએ.
ભૃણ હત્યા વિષયક સાહિત્ય સર્જવા તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ જયારે શૈક્ષણિક શિબિરો, બેઠકો, અને કાર્યશિબિરોનું આયોજન કરે ત્યારે ડોકટરો એમને મદદ કરી આ સમસ્યાના ઉકેલ માટે સહાયરૂપ થઇ શકે.
દરેક હિંદુ પુરુષ ‘ પુન ‘ નામના નર્કમાંથી છૂટવાની ઈચ્છા ધરાવે છે. તેથી એ પુત્રની ઝંખના સેવે છે. આમ કરતા તે પુત્રી તરફ ઉદાસીન થઇ જાય છે_ ને એની ગર્ભમાં હત્યા કરાવી નીચામાં નીચા નર્કને લાયક બને છે. આવી સભાનતા લોકોમાં ધર્મગુરુઓ જગાવી શકે.
દીકરો – દીકરી એક સમાનની સંકલ્પના માતા – પિતા, સાસુ સહિત સૌ કોઈ સમજે સમજાવે તો સ્ત્રી ભૃણ હત્યાના મહાપાપનો સિલસિલો વધતો અટકે.
સ્ત્રી બાળકને આર્થિક બોજમાંથી આર્થિક સંપત્તિમાં ફેરવી નાખવામાં આવે તો આ દૂષણને અસરકારક રીતે મીટાવી શકાય.
સરકારે દીકરીઓ માટે અનેક વિધ સવલતો આપવી જોઈએ. જેવી કે, મફત કેળવણી, વધારાનું ખાદ્યાન્ન, કરરાહત, એક કે બે સ્ત્રી બાળક ધરાવતા ગરીબ માં બાપને ઘડપણમાં થોડી આર્થિક સહાય મળે, જેથી તેઓ પુત્રનો આગ્રહ જ ન રાખે.
જો કે સરકારે જાતિ નિર્ધારણ સામે કાયદો કરીને અને તે અંગેના દવાખાના સામે કઠોર કાર્યવાહી કરવાનો માર્ગ અપનાવીને પણ સાચી દિશામાં પગલું તો ભર્યું જ છે. આ કાયદાઓનો કડક અમલ કરાવીને સ્ત્રી ભૃણ હત્યા ડામવામાં કેટલેક અંશે મદદ મળી રહેશે.
શિક્ષિત અને સ્વાવલંબી સ્ત્રી જ સમાજમાં થતા અન્યાય સામે લડીને સમાન તક પ્રાપ્ત કરી શકે તેમ છે. આથી સ્ત્રી શિક્ષણનું પ્રમાણ વધારવું જોઈએ.
સમાજમાંથી બળાત્કારનું પ્રમાણ ઓછું થાય એ માટે સરકારે સ્ત્રીઓને લગતા સામાજિક સલામતીના કાયદા વધુ કડક બનાવવા જોઈએ. અને તેનો સઘન રીતે અમલ થાય તેવા તમામ પ્રયત્નો કરવા જોઈએ.
આ સાથે સ્ત્રીઓ સ્વયં પોતાની જાતને અબળા ગણવાને બદલે સબળા સાબિત કરવા જુદો, કરાટે જેવા કસબો શીખીને સ્વયં પોતાની જાતનું રક્ષણ કરતા શીખે તે વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે.
સામાજિક સ્તરે પણ ધાર્મિક અને સામાજિક સંગઠનોએ તેમની સામૂહિક શક્તિ કામે લગાડવી જોઈએ. અને સ્ત્રી ભૃણ હત્યાની અમાનવીય વૃત્તિ ડામવાનું કાર્ય પ્રથમ પસંદગીના ક્રમથી હાથ ધરવું જોઈએ.
ગુજરાતમાં પાટીદાર સમાજના લોકોએ વિરાટ સંમેલનો કરી સ્ત્રી ભૃણ હત્યા ન કરવાની પ્રતિજ્ઞા લીધી, તે રીતે અન્ય સમાજના આગેવાનોએ સ્ત્રી ભૃણ હત્યા તેમજ દહેજપ્રથા જેવા દુષણોને ડામવા યોગ્ય પગલા લેવા જોઈએ.
જે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ સ્ત્રી ભૃણ હત્યા સાથે સંકળાયેલી જણાય તો તેમનો સામાજિક બહિષ્કાર થવો જોઈએ.
ફિલ્મ એ દશ્ય – શ્રાવ્ય સાધન છે. સ્ત્રી ભૃણ હત્યા વિષયક ફિલ્મો અને ચલચિત્રો, જાહેરાતો બનાવી અસરકારક છાપ ઊભી કરી શકાય.
સ્ત્રીભૃણ હત્યા અટકાવવા સામાજીક સુધારાની તો જરૂર છે પણ તે પહેલાં સ્ત્રી જાગૃતિની ખૂબ જરૂર છે. ખુદ સ્ત્રીઓએ પોતે જ ‘ તું તારા દિલનો દિવો થાને ‘ એ ન્યાયે પોતાના તારણહાર બનવું પડશે. અને પોતાના અવિભાજ્ય અંશનું નિકંદન થતું રોકવું પડશે.
“એક શિક્ષિત તંદુરસ્ત દીકરી એટલે કે તંદુરસ્ત માતા, બરાબર એક તંદુરસ્ત સમાજ ” આધુનિક શિક્ષિત સમાજે તો આજે દીકરીને ઘણે અંશે અપનાવી જ લીધી છે. પરંતુ સામે પક્ષે જ્યાં શિક્ષણનો અભાવ છે, તેવા વિસ્તારોમાં હજી આજે પણ દીકરી એટલે ‘ સાપનો ભારો ‘ સમજવામાં આવે છે. આ બાબતે સમાજમાં ક્રાંતિ લાવવા સૌએ મંડી પડવું પડશે.
સમાજમાં ક્રાંતિ લાવવી પડશે. આ ક્રાંતિ તોડફોડ કરનારી લોહિયાળ ક્રાંતિ નહિ, પણ આ તો મૂલ્યોની ક્રાંતિ, જીવનમાં સ્વરૂપોની અને માળખાઓની ક્રાંતિ…….જનજાગૃતિ લાવવા ગામ ગામ ફરી, ઘેર ઘેર પ્રચાર કરી, સ્ત્રી – પુરુષની સંખ્યાનો રેશિયો જાળવવો એ ખૂબ જરૂરી છે.
સ્ત્રી ભૃણ  હત્યાને અટકાવવા નીચેના કાર્યક્રમોનું આયોજન કરી લોકોમાં જાગૃતિ લાવી શકાય. જેમકે, સ્ત્રી ભૃણ હત્યા વિષયક ચિત્ર સ્પર્ધાઓ, નિબંધ અને વકતૃત્વ સ્પર્ધા યોજવી, પ્રભાત ફેરી, શેરી નાટક, રોલ પ્લે જેવા લોક જાગૃતિના કાર્યક્રમો, પોસ્ટર સ્પર્ધા, રેલી, પરિસંવાદ, માતૃ – પિતૃ સંમેલન, સ્ત્રી જાગૃતિ અભિયાન અને સંમેલન, સુત્રલેખન વગેરે.
કોઈ પણ સમસ્યાનો ઉકેલ તેના જ મૂળમાં જ હોય છે. આ માટે વ્યક્તિ, કુટુંબ, સમાજ, અને દેશમાં જો વૈચારિક પરિવર્તન ધીરજ અને ખંતથી લાવવામાં આવે તો  મહદઅંશે આ સમસ્યાનું નિરાકરણ થઇ શકે.
 

beti-bachao

15:51 Posted by Chandsar

આધુનિક યુગમાં ભ્રૂણ હત્યાની ભયંકર બદી પ્રવેશી ગઈ છે. જેના કારણે આજે માનવ જાત અશાંતિના આરે આવીને ઉભી છે. ગર્ભપાત એ જીવતા મનુષ્યની હત્યા છે. માતાના ગર્ભમાંથી માનવ-બાળ જ ઉત્પન્ન થાય છે. પણ કેટલાયે લોકો દીકરી જન્મવાની હોય છે ત્યારે ગર્ભપાત કરાવી નાખે છે !
કાતર જેવું હથિયાર અંદર નાખીને જીવતા બાળકને તે વડે વીંધી નાખવામાં આવે છે. ગર્ભમાં તરફડતું બાળક લોહીલુહાણ થઇ અસહ્ય વેદના ભોગવી મૃત્યુને શરણ થાય છે. પછી એક ચમચી જેવા સાધનની મદદથી બાળકના ટુકડા બહાર કાઢવામાં આવે છે. ખીમો થઇ ગયેલું મગજ, લોહી દદડતા આંતરડા, બહાર નીકળી પડેલી આંખો, દુનિયામાં જેણે પહેલો શ્વાસ નથી લીધો તેવા ફેફસાં, નાનકડું હૃદય, હાથ-પગ બધું જલદી બહાર કાઢીને નીચેની બાલદીમાં ડોક્ટર ફેંકી દે છે !! બાળકને અંદર તરફડીને મારી જવા માટે પૂરતો સમય પણ આપતો નથી. અંધારામાં તીર મારવા જેવું આ ઓપરેશન છે. જો કાતિલ ખૂનીઓ, ડાકુઓ, કસાઈઓ, આ દેશની ભ્રૂણ હત્યાના બે-ચાર ઓપરેશનો જોઈ લે તો કદાચ તેઓ પોતાનો ધંધો છોડી દઈને સાધુ બની જાય.


આ કળિયુગનો આંધળો કાયદો કેવો છે ? કાયદો પણ ગર્ભસ્થ શિશુની રક્ષા કરી શકતો નથી. કાનૂને જ ગર્ભ હત્યા કરનારને યોગ્ય વૈદ્ય બનાવી દીધા છે. પરિણામ સ્વરૂપે ખુલ્લમખુલ્લા દુરાચાર, વ્યભિચાર, અને અનાચારને નિમંત્રણ મળી ગયું છે. ચાહે તેટલા ઉઘાડે છોગે દુરાચાર કરી રહેલા વ્યક્તિઓ ‘ગર્ભ ફક્ત પંદર-વીસ મિનિટમાંજ પડી જશે’ તેવી જાહેર ખબરો પણ છાપે છે. ટી.વી. – રેડિયોમાં આવે છે, ફક્ત 150 રૂપિયામાં જ ઘણી સરળતાથી ગર્ભ હત્યા કરાવી શકાય છે. ગર્ભ હત્યા સરળ બની ગઈ છે. રસ્તા પર ચાલતી સ્ત્રી પણ આ કરાવી શકે છે. બે કલાકમાં તો ઘરે જઈ શકાય છે. માનો કે શાકભાજી ખરીદવા ન ગઈ હોય ! વિજ્ઞાનની ટેકનિકે આટલી બધી સગવડ ખૂબ સરળતાથી ઊભી કરી નાખી છે. તેમના માટે કહી શકાય…..
” निर्माणों के पावनयुगमें हम चरित्र निर्माण न भूले,
स्वार्थ साधनाकी आंधीमे वसुधा का कल्याण न भूले | “
ભારતીય સ્ત્રીઓ હજારો વર્ષના સંસ્કારના બળે ગર્ભપાતનું પાપ કરતાં ખચકાય છે. ત્યારે તેને સમજાવવામાં આવે છે હજુ તો શરૂઆત છે, તેમાં હજુ જીવ નથી. કોઈને ખબર પણ નહિ પડે. અને ભોળી સ્ત્રીઓ આ પ્રચાર જાળમાં ભરમાઈ જાય છે. કોણ કહે છે ગર્ભમાં જીવ હોતો નથી ! જીવ તો પહેલે જ દિવસથી, પહેલી જ ક્ષણથી હોય જ છે. જો જીવ ન હોય તો આટલો પણ એક બે ત્રણ મહિનાનો વિકાસ કેવી રીતે થાય ? આવી ગર્ભપાત કરવાની સલાહ આપનાર પૂજા ભક્તિ – દાન દેનાર બહેનો પણ, અચકાતી નથી. ક્ષણવાર માટે થાય કે આવી ધર્મી બહેનો નિર્દય કે ક્રૂર હોય ? બહેનોમાં જ્યાં સુધી આત્માનું જ્ઞાન પેદા નથી થતું ત્યાં સુધી આ બધું નકામું. માટે એક ‘માં’ પોતે જ પોતાની દીકરીની હત્યા થતી બચાવી શકે ! સ્વામી દયાનંદે પણ કહ્યું છે કે,
” ભારતવર્ષનો ધર્મ ભારતવર્ષના પુત્રોથી નહિ પણ પુત્રીઓના પ્રતાપે સ્થિર છે. ભારતીય સ્ત્રીઓએ પોતાનો ધર્મ છોડ્યો હોત, તો ભારતવર્ષ ક્યારનોયે નસ્ટપ્રાય થયો હોત ! “
વધુ મહત્વની વાત એ છે કે જયારે ગર્ભમાંના સંતાનની જાતિ નક્કી કરવાની હોય છે ત્યારે પતિ અને પત્ની બંને ડોક્ટર પાસે સાથે જ જાય છે અને જો દીકરી જન્મવાની જાણ થાય તો ગર્ભપાત પણ બંને મળીને કરાવે છે. આમ જેની સાથે સવિશેષપણે વાત કરવાની છે તે લક્ષ્યો ડોક્ટરની નજર સામે જ હોય છે. અને તે બંદી શ્રોતાજનોએ ડોક્ટર જે કહે તે સાંભળવાનું હોય છે અને તેની આજ્ઞાને માથે ચડાવવાની હોય છે. આવે વખતે ડોક્ટર પતિ-પત્નીની માંગણીને વશ થાય છે. અને પોતાના કૌશલ્યનો ઉપયોગ કરે છે. આના બચાવમાં ડોકટરો કહે છે કે દેશમાં વસતિ વધારાને રોકવાની જરૂર છે તેમાં અમે મદદરૂપ થઈએ છીએ. એક વધુ સ્ત્રીને દુ:ખી જીવન જીવવામાંથી રોકીએ છીએ. અને એક રોતી કકળતી સ્ત્રીની વિનંતીને માન આપીને તેના પર દયા કરીએ છીએ. બુદ્ધિજન્ય દલીલો કરનાર ડોક્ટરને પોતે યોગ્ય જ કરી રહ્યો છે તે લાગણી ધન કમાયાથી બળવત્તર બને છે. તેને કારણે તેઓ સ્ત્રીઓને મદદ કરતા હોય તેવો સ્વાંગ વધુ ચતુરાઈ પૂર્વક કરે છે.
તબીબો સામાજિક સભાનતા જગાવવામાં મદદરૂપ બનવા જોઈએ. પોતાના દવાખાનામાં ‘ગર્ભપાત સ્વાસ્થ્ય માટે હાનિકારક છે’, ‘ગર્ભસ્થ બાલિકા હત્યા પાપ અને ગુનો બને છે’, જેવા પોસ્ટરો સ્થાનિક ભાષામાં લખીને ભીંત પર લગાવે. આવા સૂત્રો પ્રીસ્ક્રીપ્શન લખી આપવાની બધી જ સામગ્રી પર મુકવા જોઈએ. નારી ભ્રૂણહત્યાની સ્ત્રીના મન અને શરીર પર થતી હાનિકારક અસરો અને વ્યાપક દ્રષ્ટિએ જોઈએ તો લાંબા ગાળે સમાજ આખા પર થતી એની અવળી અસરો વિષે સરકારને સાહિત્ય સર્જવામાં તબીબો મદદ કરી શકે. શાળા-મહાશાળાઓમાં ભણતા કિશોર-કિશોરીઓને તથા તદ્દન અશિક્ષિત લોકોને પણ આ સમાજની હાનિકારક પ્રવૃત્તિ વિષે સમજ આપવા સાહિત્ય સર્જવામાં તબીબોએ સહાય કરવી જોઈએ. સ્વૈચ્છિક સંસ્થાઓ જયારે શૈક્ષણિક શિબિરો, બેઠકો અને કાર્યશિબિરોનું આયોજન કરે ત્યારે ડોકટરો એમને મદદ કરી શકે.
આપણા સમાજના ધાર્મિક નેતાઓ આ કલંકને રોકવામાં સાથ આપી શકે. આપણા સમાજમાં પુત્ર જન્મને વધુ આવકાર્ય ગણવામાં આવે છે. તેની પાછળના કારણો છે : માત્ર પુત્ર જ પુન નામના નર્કમાંથી ઉગારે છે. માત્ર પુત્ર જ કુટુંબનો વંશવેલો આગળ વધારે છે. માતા પિતાને વૃદ્ધાવસ્થામાં કેવળ પુત્ર જ સાચવે છે.
આ ત્રણ કારણોમાંનું પહેલું કારણ ધાર્મિક માન્યતાઓને લીધે છે. દરેક હિંદુ પુરુષ પુન નામના નર્કમાંથી છૂટવાની ઈચ્છા ધરાવે છે તેથી એ પુત્રની ઝંખના સેવે છે. આમ કરતા કરતા તે પુત્રી તરફ ઉદાસીન થઇ જાય છે. ને એની ગર્ભમાં જ હત્યા કરાવી નાખી નીચામાં નીચા નર્કને લાયક બને છે. કેમકે તે પોતાના જ ન જન્મેલા સંતાનની હત્યા કરાવે છે. આવું એ દેખીતી રીતે તો અહેતુક જ કરે છે કેમકે ઘણા બધાને એ વાતનો ખ્યાલ જ નથી આવતો કે ગર્ભપાત એક પાપ છે, હત્યા છે.
ધર્મગુરુઓ લોકોને સમજાવે કે પુન નામના નર્કમાંથી છૂટવા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી તેઓ કેવું હીન કૃત્ય કરે છે. આવી સભાનતા લોકોમાં ધર્મગુરુઓ જગાવી શકે. આપણી દલીલ નવી ટેકનોલોજીના સંદર્ભમાં જરા જુદી રીતે પણ સમજાવી શકાય. હવે મૃતદેહોને વીજળી દ્વારા ભસ્મીભૂત કરવામાં આવે છે ત્યારે પુત્ર અગ્નિદાહ દે એવું થતું નથી. ધર્મગુરુઓએ આ વાત તેમના ભક્તોને ખાસ ધ્યાન પૂર્વક સમજાવવી જોઈએ.
” नर को नारायण करे जिसका मिलन महान
वह नारी जन पूज्य है, उससे है सुंदर जहान
कितना समजाये तुम्हे, करो न अब अपमान
सभी गुणों की खान है , नारी रूप महान | “
અસંખ્ય ગર્ભસ્થ બાલિકા-હત્યા અત્યારે થઇ રહી છે તે એ જ વાતની દ્યોતક છે કે સદીઓથી સ્ત્રીઓના અસ્તિત્વ વિષે સમાજ ઉદાસીન રહ્યો છે આ સમાજનું મહા કલંક છે. શું આપણે સાથે રહીને નારી ભ્રૂણ હત્યા વિરુદ્ધ ઝુંબેશ ઉઠાવી ના શકીએ ? સમાજમાં નારી ભ્રૂણ હત્યાનું દુષણ ઝડપથી પ્રસરી રહ્યું છે. આ સમસ્યા પર ગંભીર ચિંતન કરી તે માટે સૌએ સક્રિય થવાની જરૂર છે. નારી ભ્રૂણ હત્યા કરીને આપણે કેટલીયે મૈત્રેયી, ગાર્ગી, લક્ષ્મીબાઈ, લતા મંગેસ્કર, કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, કિરણ બેદી અને અન્ય મહાન વિભૂતિઓને ધરતી પર આવતા પહેલા જ મારી નાખીએ છીએ !!!
” પુરુષ ઘરનું આંગણું , નારી ઘરનો મોભ,
નારી શક્તિનું રૂપ છે , ન ભૂલો એના જોમ.”

savedaughter

15:47 Posted by Chandsar


” અવનીથી આકાશ સુધીની વાત છે,
જગમાં નારી મહાન છે.
અબળા નથી પણ સબળા છે,
દીકરી મોંઘા મૂલની છે.
નારી માત્રનું રખાય માન,
સમાજની એ સાચી શાન.”
ભારતમાં પ્રાચીન સમયમાં નારી-સન્માનની ભાવના જોવા મળતી હતી. આપણા વેદો – ઉપનિષદો તેમજ રામાયણ, મહાભારત જેવા પૌરાણિક ગ્રંથોએ પણ નારી શક્તિનો અપાર મહિમા ગાયો છે. તે સમયમાં નારીને શિક્ષણનો પૂરો અધિકાર હતો. લોપામુદ્રા, ગાર્ગી, મૈત્રેયી જેવી ઘણી વિદૂષી સ્ત્રીઓ તે સમયની સ્ત્રીશક્તિઓનું પ્રમાણ છે. ‘यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता: |‘ – આ ભાવનાથી ભારતમાં સદીઓ પૂર્વે સ્ત્રી – સન્માનનો આદર્શ મૂર્તિમંત બન્યો હતો.
બૌદ્ધકાળમાં અને વિશેષ કરીને પ્રભુ મહાવીરના જૈનકાળમાં તો પુરુષોની બરોબરીના નાતે સ્ત્રીને ઘણાં આધ્યાત્મિક અને સામાજિક અધિકારોની હકદાર બનાવી, એનો ઈતિહાસ ગવાહ છે. પરંતુ ઇતિહાસના પાના ફરફરે છે. અને સમયના અલગ અલગ તબક્કાઓમાં તે જ છાયાની સંતાકૂકડી ‘દીકરી’ રમતી રહી. મોગલકાળમાં બાદશાહો દ્વારા શાહજાદીઓની ઉપેક્ષા – શોષણ ઓછાં ન હતા. તેમ રજપૂત યુગમાં અંત:પૂરમાં ઓઝળ પડદામાં સડતી રહેતી રાણીઓ યાદ આવે છે. મધ્યકાલીન હિન્દુસ્તાનમાં સ્ત્રીઓની સ્થિતિ કફોડી અને એટલી દયાજનક બની કે, માથેથી સાપનો ભારો, ઉતારવા માં-બાપ લાકડે માંકડું પણ વળગાડી દેતાં, દીકરી ને ગાય દોરે ત્યાં જાય એવી પરિસ્થિતિ હતી !
14મી અને 15મી સદીમાં દીકરીને દૂધ પીતી કરવાની પ્રથા, દહેજ પ્રથા, સતીપ્રથા જેવા દૂષણો સંકળાયેલા હતા, અને એટલે જ દીકરી જન્મે તેવી મારી નાંખવામાં આવતી. સંજોગો અને સમય બદલાયા પણ દીકરી પ્રત્યેનો દ્વેષ 21મી સદીમાં પણ બદલાયો નથી. સમાજે સુસંસ્કૃતતા અને આધુનિકતાની ચાદર તો ઓઢી પરંતુ એ ચાદરની થીંગડાની નિશાનીઓ તો રહી જ ગઈ. હવે તો દીકરીને જન્મવાનો અધિકાર પણ છીનવી લઇ, ગર્ભમાં જ સ્ત્રીભૃણ હત્યા કરી નાંખવામાં આવે છે.
” देश में गर औरते अपमानित है, नाशाद है
देल पर रखकर हाथ कहिये देश क्या आजाद है
जिनका पैदा होना ही अपशकुन है नापाक है
औरतों की ज़िन्दगी ये ज़िन्दगी क्या खाक है । “
સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ ભારતીય સમાજમાં સ્ત્રીઓને કાયદાકીય અધિકારો આપવામાં આવ્યા તેમજ ધીમે-ધીમે સ્ત્રીઓ આર્થિક રીતે સ્વાવલંબી બનવા લાગી છે છતાં અસંખ્ય સ્ત્રીઓ, હિંસા-અત્યાચારનો ભોગ બનતી હોવાના કિસ્સાઓ નોંધાય છે. અપમાન, ત્રાસ, જુલમ કે રિબામણીથી ત્રાસીને આત્મહત્યાનો આશ્રય લેતી સ્ત્રીઓની સંખ્યા પણ વધતી જાય છે. સ્ત્રીઓને મારકૂટના, અપહરણના, બળાત્કારના, સળગાવી નાખવાના તેમજ ખૂનના બનાવો વધતા જાય છે. તેમજ સ્ત્રીભૃણ હત્યાનું દૂષણ સમાજમાં ઝડપથી પ્રસરી રહ્યું છે. આજે પરિસ્થિતિ એ આવી છે કે પુરુષોની સંખ્યાની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટી રહી છે. ભવિષ્યમાં આના ઘણા માઠા પરિણામો આવી શકે. જો સ્ત્રી જ ન હોય તો ? આ વિશ્વનું કોઈ અસ્તિત્વ શક્ય હોત ખરું ? જે સ્થાન શરીરમાં નાડીનું છે તે સ્થાન સમાજમાં નારીનું છે. નારી પૂજાની ખાણ છે, અને તીર્થંકરોની ઓળખાણ છે.
” नर को नारायण करे जिसका मिलन महान,
वह नारी जन पूज्य है, उससे है सुंदर जहान ।
कितना समजाये तुम्हे करो न अब अपमान,
सभी गुणों की खान है, नारी रूप महान । “

સામાજિક દૃષ્ટિકોણની સ્ત્રીઓ પર થતી અસરો :-

ભારતમાં દહેજપ્રથા ઉપર કાયદા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં વર્તમાન સમયમાં કરિયાવરના નામે કે અન્ય કોઈ રીતે આ પ્રવૃત્તિ ચાલે છે. કેટલીક જ્ઞાતિઓમાં ઘરવખરીની તમામ ચીજો ઉપરાંત અમુક તોલા સોનું, ગાડી, મકાન વગેરે કરિયાવરમાં આપવું ફરજિયાત બની ગયું છે. તેથી દબાવમાં આવીને કેટલીયે સ્ત્રીઓ આત્મહત્યા કરી લે છે કે તેને મારી નાંખવામાં આવે છે. એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે 4000 દહેજ મૃત્યુ થાય છે.
વર્તમાન સમયમાં જ્ઞાતિઓના સંદર્ભમાં જોઈએ તો, નિમ્નજ્ઞાતિ કરતાં ઉચ્ચ જ્ઞાતિઓમાં દહેજ-મૃત્યુની સમસ્યા વધારે જોવા મળે છે. દર વર્ષે 27000 ખૂનના બનાવો બને છે. તેમાં 10 થી 15 ટકા બનાવો સ્ત્રીના ખૂનના હોય છે. દર વર્ષે પકડાતા ખૂનના આરોપીઓમાંથી 3.3 ટકા સ્ત્રી આરોપી હોય છે.
સમાજમાં દીકરી જેટલું મહત્વ વહુને અપાતું નથી. સામાન્ય રીતે ઘરેલું ઝઘડા, અનૈતિક સંબંધો અને સ્ત્રીની અસાધ્ય બિમારી જેવા કારણોને લઈને સાસુ-નણંદ દ્વારા વહુને માનસિક અત્યાચાર આપવામાં આવે છે. કેટલીકવાર તો તેની હત્યા પણ કરી નાંખવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં દર્શાવ્યા પ્રમાણે પતિની પ્રાથમિક ફરજ અને જવાબદારી તેની પત્નીને પ્રેમ અને રક્ષણ પૂરું પાડવાની છે. પરંતુ પિતૃસત્તાક કુટુંબવ્યવસ્થામાં સ્ત્રીનો ગૌણ દરજ્જો હોવાથી સામાન્ય બાબતોમાં પણ પતિ તેની પત્નીને મારકૂટ કરે છે. પોતાના પતિ પર સ્ત્રીએ વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે, પોતાનું જીવન સમર્પિત કર્યું છે તે જ તેને મારકૂટ કરે છે. લાફો, ગડદા, પાટું, અપમાન, રિબામણી, ઢોર માર મારવો કે મારી નાંખવાનો પ્રયત્ન કરવો વગેરે વિવિધ પ્રકારે સ્ત્રીની કનડગત થતી હોય છે.
પ્રવર્તમાન સમયમાં નિમ્ન આવક ધરાવતા જૂથોમાં પતિ દ્વારા પત્નીને મારકૂટ કરવાના કિસ્સાઓ ખૂબજ બધી રહ્યા છે. ઉપરાંત દારૂડિયા પતિની પત્નીઓમાં પણ મારકૂટના બનાવોનો દર ઊંચો જોવા મળે છે.
આજે ભારતમાં ઘણા બધા કુટુંબોમાં જોવા મળે છે કે, પતિના અવસાન બાદ વિધવા સ્ત્રી પ્રત્યેના કુટુંબના સભ્યોના વલણ અને વર્તન તદ્દન બદલાઈ જ જાય છે. વિધવા સ્ત્રીને સંયુક્ત કુટુંબની મિલકતમાંથી ભાગ આપવો ન પડે તેવું શ્વસુર પક્ષના લોકો ઈચ્છતા હોય છે. વિધવા સ્ત્રી કુટુંબમાં બોજારૂપ મનાવા લાગે છે.
વિધવા અને તેના બાળકોની જરૂરિયાતો પ્રત્યે કુટુંબ દ્વારા દુર્લક્ષ સેવવામાં આવે છે. તેના તરફ અપમાનજનક ધૃણાસ્પદ વ્યવહાર થવા લાગે છે. તેની ઈચ્છાઓ, આશાઓ, અપેક્ષાઓ અને મહત્વકાંક્ષાઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે છે. તેમાંયે પ્રૌઢવિધવા કરતાં યુવાન વિધવા વધુ અપમાનિત થાય છે, વધુ શોષણનો ભોગ બને છે.
કન્યા જન્મ અને કન્યા ઉછેરની અવગણના તો ભારતમાં પ્રાચીનકાળથી જ થતી આવી છે. આજે પણ પુત્રીજન્મ કરતાં પુત્રજન્મને વધુ મહત્વનો માનવામાં આવે છે. ગર્ભપાતનો કાયદો હોવા છતાં આજે તેનું લેશ માત્ર ઔચિત્ય રહ્યું ન હોય તેવું લાગે છે. આમ પુત્રની ઘેલછાને લીધે સમાજમાં પુત્રીજન્મની ઉપેક્ષા થાય છે.
બાલિકાનો ગર્ભપાત કરવો તે એક જઘન્ય અપરાધ છે, માતૃત્વનું અપમાન છે. સ્ત્રીનું માતૃત્વ આવું કૃત્ય કરતાં સ્ત્રીને અટકાવે છે આમ છતાં સ્ત્રીનો પતિ કે જેઠ-જેઠાણી કે સાસુ-સસરા અથવા તો બધાજ ગર્ભપરિક્ષણ દ્વારા બાળકનું લિંગ જાણી ગર્ભમાં છોકરી છે તેમ ખબર પડે તો ગર્ભપાત કરવા માટે દબાણ કરતા હોય છે.
સમાજના કેટલાક કુટુંબોમાં સ્ત્રીઓ પર અસહ્ય ત્રાસ ગુજારવામાં આવે છે. મહેણાં – ટોણા, ત્રાસ, જુલમ, મારકૂટ, ગાળો દેવી, અપમાન કરવું વગેરે પ્રકારની પરિસ્થિતિ સ્ત્રીની સામે ઊભી થતા તેને પોતાની જિંદગી અસહ્ય અને બોજારૂપ લાગે છે. પોતાનું કોઈ નથી, ક્યાંય આશ્રયસ્થાન નથી તેવું લાગે છે. આથી આવી જિંદગીમાંથી મુક્ત થવા કે દુ:ખ યાતનાનો અંત લાવવા સ્ત્રી આખરી અને છેવટના ઉપાય તરીકે આપઘાત કરે છે. વિશેષ ચિંતા અને ખેદની બાબત એ છે કે ભારતમાં સ્ત્રીઓના આપઘાતના બનાવો આજે ખૂબજ વધી રહ્યા છે.
” हो अन्यायी न्याय ये कैसे सहा जाये
बाड खेंतो को खाए ये कैसे सहा जाये
मामले घरों के निजी कानून कहाये
मर्दाने धर्मो के इन पर है साये
ये सारे औरत को दबाये
खुद न्याय दबाये ये कैसे सहा जाये ।”
_ कमला भसीन
સમાજમાં સ્ત્રી-સન્માનની ઊણપ એ ખરેખર, એક સામાજિક સમસ્યા છે. પિતૃસત્તાક કુટુંબવ્યવસ્થા અને પુરુષપ્રધાન સમાજવ્યવસ્થા, સ્ત્રીનો પુરુષ કરતાં નીચો દરજ્જો, સ્ત્રીનું પુરુષ પરનું આર્થિક પરાવલંબન, સ્ત્રીઓમાં શિક્ષણનો અભાવ, કાયદાકીય જાગૃતિનો અભાવ જેવા વિવિધ કારણોથી સ્ત્રીઓ કુટુંબમાં વિવિધ પ્રકારની હિંસાનો ભોગ બનતી આવી છે.
વર્તમાન સમયમાં સમાજશાસ્ત્રીઓ, સમાજહિતચિંતકો, સમાજસુધારકો અને સામાજિક નીતિના ઘડવૈયાઓ દ્વારા આ સમસ્યાને પ્રકાશમાન કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. સમાજ પણ જો પોતાનો દૃષ્ટિકોણ બદલી વૈચારિક ક્રાંતિ લાવી સ્ત્રી-સન્માનની ભાવનાનો ઉદય કરે તો ભાવિ સમસ્યાને અટકાવી શકાય. અને સમાજ ઉન્નતિના સૂર્યોદયના પ્રકાશે ઝળહળી ઊઠે !
” નારી જગનું છે સન્માન, દીકરીને દો પૂરાં માન;
ઘરની દીકરી દેવી સમાન, સદાય રાખો તેનું માન. “

dikari

15:39 Posted by Chandsar


ઘર આખાની રોનક છે દીકરી,

જીવનમાં ખીલેલ કમળ છે દીકરી.



ક્યારેક તડકા જેમ મઘમઘ સોહાતી

ક્યારેક શીતળ ચાંદની છે દીકરી



શિક્ષા, ગુણ સંસ્કાર રોપી દો,

પછી દીકરા સમ સક્ષમ છે દીકરી



સહારો આપો જો વિશ્વાસનો,

તો પવિત્ર ગંગાજળ છે દીકરી.



પ્રકૃતિના સદ્દગુણ જો સીંચો,

તો પ્રકૃતિ સમ નિશ્ચલ છે દીકરી.



તો કેમ પ્રતિબંધ તેના જન્મવા સામે,

આપણી આવતીકાલ છે દીકરી…….