દેશની આઝાદી પ્રાપ્ત કરવા માટે જે મહાનુભાવોએ પ્રબળ નેતૃત્વ પૂરું
પાડ્યું છે અને અથાગ પુરષાર્થ કર્યો છે તેમાં કરમસદના બે ભાઇઓ – વીર વિઠ્ઠલભાઇ અને સરદાર વલ્લભભાઇના
નામો અગ્રસ્થાને છે.

તેઓ ૧૯૦૮માં બેરિસ્ટર બન્યા. ભારત પાછા ફર્યા. ૧૯૧રમાં મુંબઇ
લેજિસ્લેટિવ કાઉન્સિલમાં ચૂંટાયા઼ ૧૯રપથી મધ્યસ્થ ધારાસભાના પ્રથમ ભારતીય
પ્રમુખ બન્યા. સને ૧૯૩૦માં આઝાદીના જંગમાં મધ્યસ્થ ધારાસભામાંથી રાજીનામું
આપી સક્રિય રીતે જોડાયા. તેઓની મુસદ્દીગીરી ભારતભરમાં વખણાતી.
વિઠ્ઠલભાઇ પટેલની મુખ્ય ખ્યાતિ એક રાજકીય નેતા, સતત પ્રશ્નો પૂછીને-પ્રશ્નો ઊભા
કરીને સરકારને અકળાવનારા-મૂંઝવણમાં મૂકનારા વિદ્વાન સાંસદ અને પક્ષાપક્ષીથી
પર રહીને અઘ્યક્ષપણું દીપાવનારા અઘ્યક્ષ તરીકેની રહી હતી. ‘મફત
અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ’ની વાત તેમણે ૧૯૧૬માં કરી હતી. તેમના સતત
પ્રયાસો પછી ૧૯૧૭માં મુંબઇ ધારાસભામાં એ ખરડો રજૂ થયો હતો.
‘લીવ ઇન રિલેશનશીપ’ને માન્યતા આપીને, ‘પાર્ટનર’ને પત્ની તરીકેના હક આપતા
અત્યારના સમયમાં નવાઇ લાગે, પણ એ વખતે એક કાયદાકીય જોગવાઇ એવી હતી કે હિંદુ
લગ્નમાં પતિ-પત્ની બન્ને જુદી જુદી જ્ઞાતિનાં હોય તો એ લગ્ન કાયદેસર ગણાય નહીં. તેને કારણે આંતરજ્ઞાતિય લગ્ન
પછી છૂટાછેડાનો વારો આવે ત્યારે પત્નીને ઘણું વેઠવું પડતું. ખાધાખોરાકી કે
બીજા કોઇ હક મળતા નહીં. સ્ત્રીઓને અન્યાય કરતા આ કાયદામાં સુધારો કરવા
માટે વિઠ્ઠલભાઇ પટેલએ તેમાં સુધારો કરવાની ઝુંબેશ ઉપાડી હતી.

એ વખતે દેશવટો ભોગવી રહેલા સુભાષચંદ્રે બોઝે વિઠ્ઠલભાઇની ઘણી સેવા કરી.
ઓક્ટોબર ૨૨, ૧૯૩૩ના રોજ તેમનું અવસાન થયા પછી વિઠ્ઠલભાઇનો દેહ ભારત લવાયો.
તેમના અંતીમ સંસ્કાર (લોકમાન્ય ટિળકની જેમ) ચોપાટી પર કરવા અંગે અને તેમના
વસિયતનામા અંગે અપ્રિય વિવાદ થયા. મુંબઇ સરકારે ચોપાટી પર અગ્નિદાહની
પરવાનગી ન આપી, પણ દરિયાની સામે (ભારતીય વિદ્યાભવનથી થોડે આગળ) વિઠ્ઠલભાઇની
પ્રતિમા હજુ ઊભી છે. એ કેમ ઊભી છે એની ત્યાંથી પસાર થતા મોટા ભાગના લોકોને
ખબર નથી અને જાણવાની ફુરસદ પણ નથી એ જુદી વાત છે.